Abtak Media Google News

જીયુવીએનએલ દ્વારા પડતર પ્રર્શ્નોનો નિકાલ ન થતો હોવાથી રોષે ભરાયેલા ઈજનેરો આગામી ૨૬મીથી અચોકકસ મુદતની હડતાલ પાડશે

જીઈબી એન્જીનીયર્સ એસોસીએશને પડતર પ્રશ્નોને લઈને જીયુવીએનએલ સામે મોરચો માંડયો છે જે અંતર્ગત આવતીકાલે જીબીઆનાં ૫૫૦૦ ઈજનેરો માસ સીએલ પર ઉતરી ફરજથી મૂકત રહેશે.જીયુવીએનએલ દ્વારા ઈજનેરોનાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ન આવતો હોવાથી ઈજનેરોએ રોષે ભરાઈને લડત શરૂ કરી છે. જીબીઆનાં સભ્યોએ અગાઉ તમામ ઝોનલ કચેરીઓએ પ્રતિક ઉપવાસ તેમજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ઉભી કરીને જીયુવીએનએલની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત ગત તા.૧૩થી ઈજનેરો વર્ક ટુ રૂલ મુજબ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ સુધી ફરજ બજાવી રહ્યા છે.આવતીકાલે જીબીઆનાં ૫૫૦૦ ઈજનેરો હડતાલ પાડીને ફરજથી મૂકત રહેશે. કાલે ઈજનેરોની રજાના પગલે વીજ ગ્રાહકોને કોઈ મુશ્કેલી નહી પડે તેવી ઈજનેરોએ ખાતરી આપી છે. સાથે જે ઈજનેરો શિફટમાં કામ કરતા હશે તે રાબેતા મુજબ કામગીરી સંભાળશે તેમ જણાવવામાં આવ્યું હતુ. જીબીઆનાં સેક્રેટરી જનરલ બીપીનભાઈ શાહે જણાવ્યું હતુ કે જીયુવીએનએલ ઈજનેરોનાં હિતમાં નિર્ણયો લેવામાં ઉણુ ઉતર્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં તમામ સર્કલમાં ઈજનેરોએ પ્રતિક ઉપવાસ કર્યા, વર્ક ટુ રૂલ મુજબ કામ કરવાનું શરૂ કર્યું અને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા છતા જીયુવીએનએલે ઈજનેરોનાં પડતર પ્રશ્ર્નોમાં કોઈ પણ પ્રકારનો રસ લીધો નથી. જીયુવીએનએલે પડતર પ્રશ્ર્નોનો નિકાલ કરવાને બદલે જીબીઆનું આંદોલન ગેરકાયદેસર હોવાનો પરિપત્ર મોકલ્યો હતો.જીયુવીએનએલ ઈજનેરોની સતત અવગણનાં કરતુ હોવાથી ઈજનેરોએ ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડી છે.

વધુમાં બીપીનભાઈ શાહે ઉમેર્યું હતુ કે કાલે ઈજનેરોની માસ સીએલ બાદ પણ જીયુવીએનએલ ઘટતુ નહી કરે તો આગામી ૨૬મીથી જીબીઆનાં ૫૫૦૦ ઈજનેરો અચોકકસ મુદતની હડતાલ પર ઉતરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.