માણાવદર પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર સવાર સુધીમાં ૫ થી ૭ ઇંચ થી વધુ વરસાદે શહેરમાં ૭ નાકરા- જીલાણા ૫ , જાંબુડા ૬, કતકપરા ૫, એમ જુદા જુદા ગામોમાં રીતસર કાળોકેર વર્તાવ્યો છે. અતિભારે વરસાદ ના પગલે શહેરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો હતો તથા શહેર તરફની સાઇડમાં ધોવાણ થયું છે જે જોખમી બની શકે છે. બાંટવા ખારાડેમના આઠ દરવાજા ખોલી એક વર્ષ ચાલે તેટલો જથ્થો છોડેલ છે. ઓઝત ડેમના દરવાજા ખોલવાના કારણે આંબલીયા ધેડ સહિતના ગામોમાં બે થી ચાર ફૂટ પાણી ધુસી ગયા અને બેટમાં ફેરવાયા છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. નદી, ડેમો, વોકળા ભયજનક સ્થિતિ ઓએ વહી રહયા છે. ઉપરથી કાળો કેળ જેવા વરસાદ થી લોકો ભયભીત થયા છે. શું થશે? ૧૯૮૩ના પુર હોનારત ની યાદ તાજી કરાવી છે. ભાદર કાંઠામા પણ પૂરજેવી સ્થિતિ છે.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’