Abtak Media Google News

કલબ યુવીમાં વેલકમ નવરાત્રીમાં

સિદસર મંદિરના પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા કલબ યુવીના નવરાત્રીનો આજે પ્રારંભ કરાશે

રાજકોટના અંબીકા ટાઉનશીપમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સુવર્ણભૂમી ખાતે કલબ યુવી નવરાત્રી મહોત્સવનો વેલકમ નવરાત્રી યોજાઈ હતી. આજથી કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં તા.૧૦ થી ૧૮ દરમ્યાન યોજાનારા સંસ્કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ સિદસર મંદિરના પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ સહિતના પાટીદાર શ્રેષ્ઠીઓ દ્વારા આરતીથી થશે. ગઈકાલે વેલકમ નવરાત્રીમાં પાટીદારોની ૩૨ સંસ્થાઓ દ્વારા રાજકોટના હર્બલ જાઈન્ટ બાનલેબના મૌલેશભાઈ ઉકાણીનું ભવ્યાતીભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતુ.20181009230629 Img 3754 કલબ યુવીની સાંસ્કૃતિક કલબ, બિઝનેશ વિંગ, વિમેન્સ વિંગ, ઉમિયા માતાજી મંદિર સીદસર, ઉમીયા માતાજી ટ્રસ્ટ ગાંઠીલા, ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમીયા ક્રેડીટ સોસા. ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરી. ટ્રસ્ટ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિ, ઉમિયા કડવા પટેલ સેવા સમાજ રાજકોટ ઈસ્ટ, પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતિ મંડળ, શ્રી ઉમીયા કડવા પટેલસેવા સમાજ-શાપર ઉમિયા સેવા પ્રગતિ મંડળ, ઉમીયા મહિલા સંગઠન સમિતિ, ઉમીયા યુવા ફાઉન્ડેશન ઉમીયા મહિલા એકટીવીટી નેટવર્ક, ધુલેશીયા ક્ધયા છાત્રાલય ફિલ્ડમાર્શલ ક્ધયા છાત્રાલય કચ્છ કડવા પટેલ સમાજ, સિદસર મંદિરનું મુખપત્ર ઉમીયા પરિવાર, પટેલ સર્વીસ કલાસ સોશ્યલ ફોરમ કડવા પટેલ મહિલા સોશ્યલ ગ્રુપ, ઉમિયા સ્પોર્ટસ કલબ, સમસ્ત પાટીદાર સમાજ, માનવસેવા સમિતિ, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ, વિજાપૂરા વિદ્યા સંકુલ કડવા પટેલ ક્ધયા છાત્રાલય ધ્રોલ જાંબુડા કડવા પટેલ કુમાર છાત્રાલય, પટેલસેવા સમાજ મહિલા મંડળ તથા સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો સંસ્થાના સ્પોન્સર પરિવાર ઉપરોકત કાર્યક્રમમાં જોડાયા હતા.20181009224953 Img 3725

દ્વારકાધીશ મંદિરમાં મુખ્ય સમિતિમાં ગુજરાત સરકાર દ્વારા નિમણુંક પામેલા કાળીયા ઠાકરના પરમભકત મૌલેશભાઈ ઉકાણીની આ નિમણુંકથી પાટીદાર સમાજને અનોખું સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જ પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને હર્બલ જાયન્ટ તરીકે ખ્યાતી પામેલા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટની બાનલેબની વિવિધ આયુર્વેદીક પ્રોડકટને પહોચાડી સમગ્ર રાજકોટને ગૌરવ અપાવનાર મૌલેશભાઈ ઉકાણીએ પિતા ડો. ડાયાભાઈ પટેલના આયુર્વેદીક જ્ઞાનના વારસાને નિષ્ઠાપૂર્વકના કર્મ સાથે મહેનત અને ઉમદા સુઝબુઝના પરિણામે ગાગરમાંથી સાગરની વિશાળતા પ્રાપ્ત કરી છે. અનેરા અભિવાદન સમારોહમાં પાટીદાર પરિવારના ૨૮૦૦૦થી વધુ જનમેદનીની ઉપસ્થિત રહી મૌલેશભાઈ ઉકાણીને ફૂલડે વધાવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ગૌતમભાઈ ધમસાણીયાનું પણ સન્માન કરાયું હતુ.20181009224816 Img 3721

વેલકમ નવરાત્રી મહોત્સવમાં સિદસર મંદિરના પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ, ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ટ્રસ્ટી જેન્તીભાઈ કાલરીયા, રમણીકભાઈ ભાલોડીયા, માજી મંત્રી ચિમનભાઈ સાપરીયા, વલ્લભભાઈ ભલાણી, પરસોતમભાઈ ફળદુ, મંત્રી જયેશભાઈ પટેલ, સહમંત્રી કૌશીકભાઈ રાબડીયા, ઉદ્યોગપતિઓ મનસુખભાઈ પાણ, જેન્તીભાઈ ફળદુ, જમનભાઈ ભલાણી, ધી‚ભાઈ ડઢાણીયા, હરીભાઈ કણસાગરા, વસંતભાઈ ભાલોડીયા, દિલીપભાઈ ઘરસંડીયા, મનસુખભાઈ ભીમાણી, સહિતના મહાનુભાવો તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતીભાઈ ઘેટીયાએ કર્યું હતુ. કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં ચેરમેન તરીકે મૌલેશભાઈ ઉકાણી, વા. ચેરમેન સ્મીત કનેરીયા, મેનેજીંગ ડાયરેકટર તરીકે મહેન્દ્રભાઈ ફળદુ, તથા ડાયરેકટર તરીકે ભુપતભાઈ પાંચાણી, શૈલેષભાઈ માંકડીયા, જીવનભાઈ પટેલ જવાહરભાઈ મોરી, એમ.એમ. પટેલ મનસુખભાઈ ટીલવા તથા પૂર્વ શાસક પક્ષના નેતા કાંતીભાઈ ઘેટીયા કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.