Abtak Media Google News

વેરાવળ તાલુકાની માધ્યમિક શાળાનાં આચાર્યશ્રીઓ અને નોડલ શિક્ષકોને મીઝલ્સ રૂબેલા ઝુંબેશ અંતર્ગત તાલીમ અપાઇ

ગીર-સોમનાથ જિલ્લામાં ૧૫ જૂલાઇથી શરૂ થનાર મીઝલ્સ રૂબેલા (ઓરી-નુરબીબી) અભિયાનમાં ૩૦૮૦૬૩ બાળકોને આવરી લેવાશે

ગીર-સોમનાથ જિલ્લામાં તા.૧૫ જૂલાઇથી શરૂ થનાર મીઝલ્સ રૂબેલા અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકાની માધ્યમિક શાળનાં આચાર્યશ્રીઓ અને નોડલ શિક્ષકોને એમ.આર.તાલીમ આપવામાં આવી હતી. નાયબ કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ તાલીમમાં આચાર્યશ્રીઓને અને નોડલ શિક્ષકોનાં સહયોગથી સો ટકા કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

ભારત અને ગુજરાત સરકારશ્રી દ્વારા ૨૦૨૦ સુધીમાં ઓરી રોગની નાબુદી અને રૂબેલાનાં નિયંત્રણ માટે સરકારે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં બીજા રાજ્યમાં ૮ કરોડ બાળકોને એમ.આર. વેકશીનથી આરક્ષિત કરવામાં આવેલ છે. જેમાં બાળકોમાં કોઇ મોટી આડઅસર નો કિસ્સો નોંધાયેલ નથી. ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૫ જૂલાઇથી શરૂ થનાર એમ.આર. કેમ્પેઇન દરમ્યાન ૯ માસથી ૧૫ વર્ષ સુધીનાં કુલ ૩૦૮૦૬૩ બાળકોને એમ.આર. ઇન્જેકશન વેકશીનથી આરક્ષિત કરવામાં આવશે. જે અન્વયે વેરાવળ તાલુકાની માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ તથા નોડલ શિક્ષકોની એમ.આર. તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્ય, ટી.એચ.ઓ. ચૈાધરી, ડો.બામરોટીયા માધ્યમિક શાળાનાં આચાર્યશ્રીઓ-૩૫, નોડલ શિક્ષકો-૩૪ સહિતનાં તાલીમાર્થીઓ સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.