Abtak Media Google News

લોક ડાઉનમાં દિવસ દરમિયાન મૂક્તિ મળ્યા બાદ રાત્રે રખડવા નીકળ્યા’તા

કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા ૫૫ દિવસ સુધી લોક ડાઉન કરાયા બાદ ગઇકાલથી જ દિવસ દરમિયાન મૂક્તિ આપી સાંજના સાત થી સવારના સાત સુધી કફર્યુ જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં કફર્યુનો ભંગ કરી રાત્રે રખડવા નીકળેલા ૨૩ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

કફર્યુનો ભંગ કરી રાતે લટાર મારવા નીકળેલા મનહર પ્લોટના પારસ ભરતસિંહ નકુમ, પ્રહલાદ પ્લોટના જીતેન્દ્ર ગોરધન પાટડીયા, રામનાથપરાના અજય અમૃતલાલ ગુજર, ગુરૂપ્રસાદ ચોકના નિરજ દેવદાસ કેવલાણી, નવાગામ આણંદપરના કિશોર ચોથાભાઇ ગધાદરા, નવાગામ સ્લમ કવાર્ટરના દશરથ ગોવિંદ કલોતરા, દેવનગરના મુકેશ મોમભાઇ ઝાપડા, શિવનગર લલિત ચંદુ કોબીયા, શ્રીરામ પાર્કના અરવિંદ લાખાભાઇ મકવાણા, રંગીલા સોસાયટીના હરસુખ કાળુ ડંડૈયા, ઉદય સોમલા ધાધલ, રમેશ સાદુલ દાહોટીયા, હનુ મેરામ સાટીયા, મામાવાડીના વિનોદ ગોવિંદ મકવાણા, કુવાડવાના વિક્રમ લાજા લામકા, શૈલેષ ધુધા

લામકા, રાજેશ રાઘવ દુમાદીયા, અશોક મનજી વાજા, વિપુલ વિનુ ચાવડા, ભીમનગરના ભૂપત તેજા ગમારા, આદિત્ય નરેશ બીલેસીયા અને મહાત્મા ગાંધી સોસાયટીના છગન મનજી કોટડીયાની પોલીસે જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.