Abtak Media Google News

બાંદ્રા રેલ્વે સ્ટેશન પર સ્થાનાંતરીઓનું ટોળું એકઠા કરવા બદલ સામાજિક કાર્યકર, પત્રકાર સહિત ૧૩ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

કોરોનાની કટોકટી દરમિયાના મુંબઇમાં અરૂરાતફરીનો માહોલ ઉભો કરી મુશ્કેલીઓ સર્જી દેનારા રાજકીય આગેવાન ન્યુઝ ચેનલના પત્રકાર, નવ મજુરો અને કામોઠના બે શખ્સો અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. મંગળવારે સાંજે આ શખ્સોએ લાંબા અંતરની ટ્રેનો શરૂ થવાની ખોટી હકીકતોની અફવા ફેલાવી બાંદ્રા રેલ્વે સ્ટેશન પર અંધાધૂમી સર્જી દીધી હતી. મુંબઇના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર બુધવારે ૧૫૦૦થી વધુ સ્થાનાંતરીઓ મજૂરો ભેગા થઇ ગયા હતાં અને તમામે પોતાન વતન ઉતરપ્રદેશ, બિહાર અને ઝારખંડ પહોંચાડી દેવા માંગ કરી હતી. લોકડાઉનમાં વધારાને પગલે લોકો વતન જવા અધીરા બની ગયા હતાં. આ અફરાતકરીમાં વધુ લોકોનો થાય તે પહેલા પોલીસે ટોળા વિખરવા લાઠી ચાર્જ કર્યો હતો.

મંગળવારે મોડી સાંજે પોલીસે સામાજીક કાર્યકર વિનય દુબે, એબીપી મજાના પત્રકાર રાહુલ કુલકણી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. દુબેને મંગળવારે રાત્રે તેના અરોલી નિવાસ્થાનેથી ઉપાડીને પોલીસે તેના હિજંરતી મંજૂરોને ગેરમાર્ગ દોરી રેલ્વે સ્ટેશન પર હલ્લો મચાવાવા પ્રસ્થા હોવાના ગુનો દખાલ કર્યો હતો. આ કાર્યકરોને કેટલાક હિજરતીઓના વિડિયો મુકીને બાંદ્રાના લોક માન્યતિલક ટર્મીનસ પર ૧૮ એપ્રિલ પહોંચવા જણાવ્યુ અને કહ્યુ હતુ કે તે તેમને તેમના ઘરે પોહચવામાં મદદ કરશે અને તેમણે કામદારોને ઘર સુધી પહોંચાડવાની સંગવડ ન આપનાર સરકાર સામે દેખાવો કરવાનું કહયુ હતું જયારે કલકણીને ઉસ્માનાબાદ જીલ્લા પોલીસ અધિકક્ષ રાજ રોશને ધરપકડની પ્રષ્ટિ કરી રેલ્વે તંત્રએ જનસાધારણ સ્પેશ્યલ ટ્રેન મજૂરો માટે શરૂ કર્યા હોવાની ખોટી જાહેરાત કરી હતી.

બાંદ્રા પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી કેમેરાને આધારે ઓળખાયેલા નવહિજરતી મજુરોને પણ ઝડપી લીધા છે. દુબેર્ન કોર્ટ સમક્ષ રજુ કરી ૨૧મી સુધીના રિમાન્ડ માંગવામાં આવ્યા તેમાં ડીસીપી અભિષેક ત્રિજીસીએ જણાવ્યુ હતુ કે અભિષેક સહિત આ અંગે થયેલી ૯ શખ્સોને આજે એફઆઇઆર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્રણ મુજબ ૮૦૦થી ૧૦૦૦ અજાણ્યા શાખ્સો વિરૂધ્ધ ગેર કાયદે મંડળી તોફાની કરી અંધાધંધી ફેલાવવા બદલ ગુનો નોંધ પુરાવાઓ એકઠા કરવાની પ્રકિયા હાથ ધરી છે.

પોલીસે બુધવારે સામાજીક કાર્યકર કમલેશ દુબે, તેના સાગરિત મહેમદ અન્સારીને વિડિયો વાયરણ કરી શખારામ મહાત્રે ચોલના ૧૦/૧૨ વ્યકિતઓને દશાવી બે મજૂરોને ખોરાક કે પૈસાની મુશ્કેલીના વિડિયો વાયરસ કર્યા હતાં. જોકે પોલીસે આ વિડિયા હકીકતને ખોટી હોવાનુ જણાવ્યુ હતું. આ વિડિયોમાં મજુરોને વતન મોકલવાની માંગ કરવામાં આવી હતાી.

પોલીસ અધિકારી રોહિતે જણાવ્યુ હતુ કે અને કમલેશ દુબે કે જે ઉતરપ્રદેશના સામાજીક કાર્યકર વિનય દુબે સાથે સંબંઘ્ધોનો દાવો કરે તેની તપાસ હાથધરી છે.

કુલકર્ણીએ મંગળવારે રાત્રે રેલ્વેના પત્ર ફેસબુક ઉપર અપલોડ કર્યો હતો અને એવુ કહેવાયુ હતુ કે આ પત્ર મુજબ અધિકારી સેન્ટ્રોલ રેલ્વે કિદરા બાદનો હોય અને તેના ઓવોરે આ સમાચારો જારી કરવામાં આવ્યા હતાં. જયારે રેલ્વે ટલીટ્ કરી સ્પષ્ટતા કરી હતી કે લાંબા અંતરની ટ્રેનોની માંગણીઓ અંગે વિતારણા ચલી રહી છે. પરંતુ હજુસુધી કોઇ નિર્ણય લેવાયો નથી. જયારે મજુરો માટે ખાસ ટ્રેનો શરૂ કરવાની કોઇ વિચારણા ચાલતી નથી. અત્યારે કમે સુધી તમામ પેસેન્જર ટ્રેનો રદ કરી નાંખવામાં આવી છે.

મહારાષ્ટ્રાા જાહેર સેવામંત્રી અશોક ચૌહાણે મંગળવારની ઘટના અંગે પૂર્ણ તપાસના આદેશો આપી કેટલાંક તત્વો રાજયમાં કોની વાતાવરણ ફેલવવાનો કાવતર કરતા હોવાનુ જણાવી આ અંગે કાર્યવાહીની હિમાયત કરી છે. એનસીપીના પકવતા અને લધુમતિ બાબતોના મંત્રી નવાબમલિકે દુબે એસીપીના કાર્યકર હોવાની વહેતી થયેલી વાતોનું ખંડન કરી જણાવ્યુ હતુ કે પક્ષી છાય ખરડાવવાનુ આ એક કાવતરૂ છે. શરદંપવારે તમામ રાજગ પક્ષને કોરોના કટોકટીના આ સમયમાં કામગીરીમાં સહયોગ આપવા હિમાયત કરી છે.

બંદ્રાના ભાજપના ધારાસભ્ય આશિષ સેલારે જણાવ્યુ હતુ કે કામદારો પોતાના પરિવાર જનો સહિત ફોન પર મળી શકતા ન હોવાથી હતાશ થઇ ગયા છે તેમની ફોનથી પ્રિયેડ સેવાઓ વધારવી જોઇએ. રિચાર્જ કરવાની દુકાનો બંધ છેે કેટલાક લોકો ઓનલાઇન રીચાર્જ કરી છે મજુરોને ફોન ઉપર પોતના પરિવારજનોને સંપર્ક થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ. ભાજપના ધારા સભ્ય આશિષ સેલાવરે મુંબઇમા પ્રરા વિસ્તારના પ્રભારી મંત્રી આદિત્ય ઠાકરેને પત્ર ગાઠવી પરિવારથી દુર ફસાયેલા મજુરોને મોલાદલ કનેકટીવીટી આપી તેમના પરિવાર જનોનો સંપર્ક થાય તેવી માંગ કરી છે.

બીજી તરફ એબીપી મજાએ ન્યુઝ ચેનલએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે રેલ્વે સ્ટેશન પર લોકોની ભીડ જમા થઇ હોવાની બાબતને અમારા સમાચાર સાથે આકરા પગલા ભરશું અમે જવાબદાર પત્રકારની ફરજ નિભાવવાથી વિમુખ નહી થઇએ અમે પત્રકારોની ધરણકડ થયા પહેલા તમામ હકિકતોની સ્પષ્ટતા કરી દીધી છે. બાંદ્રા રેલ્વે સ્ટેશને સર્જાયેલી અરૂરાતજરૂરી અને અંધાધૂંધીની ઘટના અંગે પોલીસે સામાજીક કાર્યકેર અને પત્રકારો સહિત ૧૩ને જેલમાં ઘકેલી દેવાની આ ઘટનાને વહીવટીતંત્ર અને મિડીયા જગત અને રાજકરાણમા ભારે ખળભળાટ મચાવી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.