Abtak Media Google News

કેશોદ જલારામ મંદિરે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો. આ નિદાન કેમ્પમાં ૨૫૦ આંખના દર્દીઓને નિદાન કરી તેમાંથી ૭૦ થી ૮૦ જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ટ્રસ્ટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આજે યોજાયેલ નિદાન કેમ્પમાં આંખનો કેમ્પ તથા વિનામૂલ્યે આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જલારામ મંદિરે દર મહિનાના બીજા અને ચોથા રવિવારે આંખનો કેમ્પ રાખવામાં આવે છે અને તે વિનામૂલ્યે યોજવામાં આવે છે. આજના કેમ્પના દાતા તરીકે નરેશભાઈ દાવડાએ યોગદાન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.