Abtak Media Google News

આંકડીયા ડેમમાં આવેલા ર્માં નર્મદા નીરના વધામણા અને ‚ા. ૧૬૬૭ કરોડના ખર્ચે નંખાયેલી નર્મદા પાઇપલાઇનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી: સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે પાણી પહોંચાડવામાં આવશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના અંતર્ગત લીંક-૪ હેઠળના આંકડીયા ડેમમાં આવેલા મા નર્મદા નીરના વધામણા કર્યા હતા અને રૂ.૧૬૬૭ કરોડના ખર્ચે નંખાયેલી નર્મદા પાઇપલાઇનનું લોકાર્પણ કર્યુ Img 4583હતુ. જસદણની પાંચાળભૂમિનો આ ડેમ અઢી દાયકા બાદ છલોછલ ભરાયો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ચોમાસામાં વરસાદન પડે તો પણ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર ની. સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે મા નર્મદાના પાણી પહોંચાડવામાં આવશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના અંતર્ગત ૨૧ ડેમો, ૪૮ તળાવો અને ૧૭૪ ચેકડેમો નર્મદાના પાણીી ભરાઇ ચૂક્યા છે. હજુ પણ ૬૫૦૦ કરોડના કામોને મંજૂરી આપી દેવામાં આવી છેે. નર્મદાના પાણીનું માહત્મ્ય સમજાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરસ્વતીમાં દસ વખત, યમુનામાં ત્રણ વખત, ગંગામાં એક વખત સ્નાન કરવાી જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય મા નર્મદાના દર્શન કરવા માત્રી મળે છે. આવી પવિત્ર નર્મદા નદીની પરિક્રમા કરવાનું પણ અનોખું માહત્મ્ય છે ત્યારે હવે મા ખુદ નર્મદા સૌરાષ્ટ્રની પરિક્રમા કરવા નીકળી છે. સૌરાષ્ટ્રના જન-જનની તરસની તૃપ્તિ મા નર્મદા કરશે. સૌની યોજનાના અમલીકરણમાં હું નિમિત્ત બન્યો તે માટે સૌરાષ્ટ્રના સંતાન તરીકે મને ગૌરવ છે. આજી ડેમમાં પણ ટૂંકસમયમાં નર્મદાના Guru3513પાણી પહોંચશે, આગામી તા.૨૯ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજી ડેમમાં નર્મદાના નીરના વધામણા કરશે. આજી સો ન્યારી, લાલપરી જળાશયો પણ નર્મદાના પાણીી ભરાશે. સૌરાષ્ટ્રના ખેડુતોએ મૂંઝાવાની જરૂર ની. આપણી ઉપર કુદરત અને મા નર્મદા મહેરબાન છે. વરસાદ વિના પણ ખેડુતો ત્રણ પાક લઇ શકશે.

આ સરકાર ખેડૂતોની સરકાર છે. ખેડૂતોને પાણી, વિજળી અને ખાતર મળી રહે તો તે માટીમાં સોનું પકાવવાની તાકાત ધરાવે છે. આવી સુવિધા ખેડુતોને આપવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. ખેડુતો નકલી બિયારણમાં છેતરાય નહિ તે માટે સઘન કાર્યવાહી કરવામાં આવી છે. ખેડુતોને તેની જણસોના ટેકાના ભાવ મળી રહે તે માટે સરકારે આયોજન ઘડી કાઢ્યું છે. રાજયમંત્રી નાનુભાઇ વાનાણીએે કહ્યું કે, વનાળા સનાળા યોજના ટૂંક સમયમાં શરૂ શે. પાંચાળ ભૂમિમાંી સૌરાષ્ટ્રની મોટા ભાગની નદીઓમાં પાણી જાય છે પરંતુ સરકારે આ ભૂમિમાં પાણી આપ્યું છે. સૌની યોજનાી જસદણ વિસ્તારને મહત્તમ ફાયદો શે. સાંસદ મોહનભાઇ કુંડારીયા અને પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોઘરાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઇ ફતેપરા, શંકરભાઇ વેગડ, ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, અગ્રણી સત્યજીતકુમાર ખાચર,  ડી.કે. સખીયા, જયંતિભાઇ ઢોલ, અરૂણભાઇ જેબલીયા સહિત વરિષ્ઠ અધિકારીઓ, પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.