Abtak Media Google News

સાંસદ મોહન કુંડારીયા સહિતના મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ

રાજકોટમાં રહેતા પાંચ સોની પરિવારના કુલ ૯ સભ્યોનુંગત તા.૧૭.૭ના રોજ કાગદડી પાસે ઈકો મોટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં મૃત્યું થયું હતુ આઠ વ્યકિતઓના ઘટના સ્થળે અને એક વ્યકિતનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ જે બાબતે મુખ્યમંત્રી રાહતકોષમાંથી કુલ ૨૦ લાખ સહાય મંજૂર કરાઈ છે.

આ મૃત્યુ પામેલ વ્યંકિતઓના વારસદારોના ૫ પરિવારમાંથી ચાર પરિવારના ચાર વારસદારના સભ્યો ઉપસ્થિત રહેતા તેમને કુલ રૂ.૧૭.૫૦ લાખ સહાયનોચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ.

અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારોમાં ભાવિનીબેન રમેશભાઈ કલાડીયાને ‚પીયા પાંચ લાખ , દિપ્તીબેન રાજેશભાઈને રૂ.૫ લાખ, નીધીબેન મહેશભાઈ કલાડીયાને રૂ. પાંચ લાખ અને કાજલબેન સુરેશભાઈ આડેસરાને અઢીલાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ સહાયના ચેકોનું સાંસદ મોહનભાઈ ધારાસભ્યો સર્વે ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ રૈયાણી, અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેભાઈ મીરાણી, ભીખાભાઈ વસોયા, ભાનુભાઈ મેતા, પુનિતાબેન પારેખના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ આપ્રસંગે અકસ્માતમાં મૃત્યુ પામનાર સદગતોના આત્માની શાંતી માટે બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.