Abtak Media Google News
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરમાં જવાહરનગર મા રહેતી એક પરણીત સ્ત્રીને તેના સાસરીયાઓ દ્વારા ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકેલ હતીં અને સાસરીયા દ્વારા પરણીત સ્ત્રી ના ૧૧ માસ ના બાળક ને પણ છીનવી લેવામાં આવેલ હતું. અને પરણીત સ્ત્રી તેના પિયર તળાજા તાલુકાના ના શોભાવત ગામે રહેતી હતી. અને મહીલા દ્વારા પોતાનું બાળક મેળવવાં  બોટાદ મહિલા હેલ્પલાઇન મદદ માંગતા બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલર ખુશખુ બેન પટેલ કોન્સ્ટેબલ અસ્મિતા બેન તથા પાયલોટ નીલેશ ભાઇ ચુડાસમા નાઓ પીડીત મહિલા ને સાથે લઇ તેની સાસરીયા મા જયને ત્યાં સાસરીયાઓ ની સાથે વાત ચીત કરીને સમજાવટ કરી રાજી-ખુશી થી 11 માસ ના બાળક ને તેની માતા સાથે મીલન કરવામાં આવેલ.
આમ બોટાદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા પ્રશંસનીય કમગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.