Abtak Media Google News

2001ની 26મી જાન્યુઆરીના વિનાશકારી ભૂકંપમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે એવા લોકોની સ્મૃતિમાં ભુજિયા ડુંગરની ગોદમાં 460 એકરના વિશાળ વિસ્તારમાં 155 કરોડના ખર્ચે સ્મૃતિવન પ્રોજેકટનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. આ પ્રોજેકટના પ્રથમ ચરણમાં ભૂકંપમાં મોતને શરણે થયેલા 13805 લોકોના નામની સ્ટીલની તકતી મુકાશે અને આ તમામ મૃતકોની સ્મૃતિમાં વૃક્ષનું પણ વાવેતર કરાશે.

સ્મૃતિવન પ્રોજેકટના બીજા ચરણમાં 58 કરોડના ખર્ચે એક મ્યુઝિયમ નિર્માણ કરવાનુ઼ં આયોજન ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયું છે. આ મ્યુઝિયમમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા આયોજન સાથે મ્યુઝિયમની અંદર પ્રવેશતાં જ લોકોને ભૂકંપ આવતો હોય તેવી ધ્રૂજારી અનુભવાય તે પ્રકારની ટેકનીક વિકસવાશે.આ ઉપરાંત ભૂકંપ સમયે કેવા કેવા પગલાં ભરી શકાય તેનું ડિસ્પલે કરાવતા બોર્ડ મુકવાનુ આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.