Abtak Media Google News

પારિવારીક કલેહના કારણે હત્યા કરાયાનું પ્રાથમિક તારણ

પાલીતાણા માં આજે એક સગા ભાઈએ તેની ૧૬ વર્ષની બહેનને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને હત્યા કરી નાખતા સમગ્ર પાલીતાણા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પાલીતાણા શહેરના પચાસ વારીયા વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારમાં કોઈ કારણસર સગા ભાઈએ તેની જ બહેન ને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા નિજપાવી નાખી હતી, પચાસ વારીયા વિસ્તારના હનીફભાઈ ના પુત્ર અબ્બાસે બુધવારે સવારના સમયે તેની ૧૬ વર્ષની બહેન મુસ્કાન ને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો, આ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ટાઉન પોલીસ ઘટના સ્થળે જાય મુસ્કાન ના મૃતદેહનો ને કબ્જો મેળવી પીએમ માટે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ પીએમ માટે ખસેડી અને વધુ તપાસ હાથ ધરી હતી તેમજ હત્યારા ભાઈ ને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, આ હત્યાના બનાવ ના પગલે લોકોના મોટી સનખ્યામાં ટોળા એકઠા થઇ ગયા હતા.

જો કે આ હત્યા અંગેનું હજુ કોઈ ચોક્કસ કરણ જાણવા મળ્યું નથી પરંતુ લોકોમાં થતી ચર્ચા મુજબ કોઈ પારિવારિક કલેહના કારણે આ હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.