Abtak Media Google News

આર.કે. યુનીવર્સીટી દ્વારા લોકશાહીને સુદ્રઢ બનાવવા

લોકસભા ચુંટણી ૨૦૧૯ નજીક આવી રહી છે ત્યારે મતદારો મહત્તમ મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવે તેવા શુભાશયથી રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર તથા આર.કે યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Img 20190411 Wa0011

આ પ્રસંગે સ્વિપના નોડલ અધિકારી આર.એસ ઉપાધ્યાયએ લોકશાહીના આ મહાપર્વ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ધટક છે. લોકતંત્ર એટલે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા છે. લોકશાહીમાં લોકોના એક એક મતનું સવિશેષ મહત્વ છે  તેથી તેમાં તમામ નાગરીકે ભાગ લેવો જોઈએ. તટસ્થ અને નિર્ભીક રીતે મતદાન કરીને લોકશાહીને વધુ મજબુત બનાવવી જોઈએ. આપણો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. મતદાન કરીને લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવીએ આપણી ફરજ છે. ત્યારે લોભ-લાલચ, આળસ, સમયના અભાવ જેવી બાબતોથી દૂર રહીને ભારતનો પ્રત્યેક નાગરિક મુક્ત અને ન્યાયીક રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ.

Img 20190411 Wa0019

આ તકે લોકશાહીના મહાપર્વ સમયે દેશની લોકશાહીને વધુ મજબુત કરવા ઉપસ્થિત મહાનુંભાવો તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉપાધ્યાયએ મતદાન કરવા અને કરાવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

મતદાર જાગૃતી અંતર્ગત યોજાયેલા સિગ્નેચર કેમ્પેઈનમાં અનુજા ગુપ્તા સહિત આર.કે કોલેજની વિદ્યાર્થીનીઓ પૈકી જે પ્રથમવાર મતદાન કરનાર છે તેમણે હોંશભેર ભાગ લીધો હતો.

આ તકે  અનુજા ગુપ્તા, આર.કે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ટી.આર.દેસાઈ, ડાયરેક્ટરઓ ડો. પ્રિયાંશુ રાઠોડ, ડો. નિલેશ કાલાણી, ડો આરતી જોષી, તથા આર.જે ઈશિતા,  પિયુષ હિંડોચા,સહિત અનેક મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.