Abtak Media Google News

પાકિસ્તાન દ્વારા જેલમાં બંધ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.  પાકિસ્તાન દ્વારા 147 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા. ત્યારે આ માછીમારે વહેલી સવારે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચ્યા હતા.

મહત્વનુ છે કે, આ માછીમારો સૌરાષ્ટ્રના અલગ-અલગ જીલ્લાના રહેવાસી છે.. અને તમામ લોકોની 10 મહિના પહેલા સીમા ઉલ્લંઘન કરવા મામલે પાકિસ્તાન મરીને અટકાયત કરી હતી  અને જેલમાં બંધક બનાવવમાં આવ્યા હતા.

નોંધનીય છે કે 10 મહિના પેહલા  પાકિસ્તાન સરકારે 147 જેટલા માછીમારોને ભારત ખાતે પરત મોકલવાનું નક્કી કર્યું હતું. આ યોજના પ્રમાણે આજે 74 જેટલા માછીમારો ને  મુક્ત કરાયેલ માછીમારોને વાઘા બોર્ડર ખાતે કેન્દ્ર તથા રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગના અધિકારીઓ ની હાજરીમાં સુપરત કરવામાં આવ્યા હતા. આ તમામ માછીમારોને વિશેષ સુરક્ષા કવચ પૂરું પાડીને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.