Abtak Media Google News

રાજયમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ચાર મહાનગરોમાં અને નવ પોલીસ રેન્જમાં નવા સાયબર ક્રાઈમ પોલીસ મથક ઊભા કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યુ હતું.

વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગૃહ વિભાગની રૂા. ૬,૬૮૭ કરોડની બજેટલક્ષી માંગણીઓ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે નવી સેવાઓ માટે રૂા. ૭૬૭ કરોડ અને ચાલુ બાબતો માટે વઘારાના રૂા. ૧૪૪ કરોડની ફાળવણી ‘ફેરફાર કરેલા અંદાજ૫ત્ર’માં કરેલ છે. જે મુજબ કુલ રૂા.૩૨૯.૧૯ કરોડના ખર્ચ વાળી ‘સેફ એન્ડ સિક્યોર ગુજરાત’ (સાસગુજ) યોજના હેઠળ ૩૪ જિલ્લા, ૬ યાત્રાધામો અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સંકુલની સલામતી, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સર્વેલન્સ અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ નેટવર્ક ઉભુ કરાશે. આ માટે ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા 100 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત ઉદ્યોગો અને મહત્વના પ્રોજેક્ટોની સુરક્ષા માટે ૨૪૦૦ પોલીસ કર્મચારીગણ સાથે બે એસ.આર.પી.એફ.ના ગૃપની રચના થશે.

ડીસીપીએ ધમકી આપ્યા અંગેની ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરાયેલી રજૂઆત અંગે તેમણે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરીને યોગી કાર્યવાહી કરવામાં આવશે, સરકારના પ્રોટોકોલને અધિકારી દ્વારા પાલન કરવામાં આવવું જોઈએ.

જ્યારે કોંગ્રેસનાં વિક્રમ માડમ દ્વારા રજૂઆત કરાયેલ કે, હવે પોલીસ હપ્તા લેવાના બદલે ભાગીદાર બનવા લાગ્યા છે. એક કોન્સ્ટેબલ બે કરોડ રૂપિયા કમાઈ રહ્યો છે. તે અંગે જાડેજાએ જણાવ્યુ હતું કે, આ બાબત ધ્યાનમાં આવી છે. અને આ મામલે ટૂંક સમયમાં તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.