Abtak Media Google News

મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના અજેય યોદ્ધાનું બિરુદ પામેલા કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ નિવૃતિ જાહેર કરી છે. તેઓ ૧૯૭૨થી સતત ૧૧ વખત છોટાઉદેપુરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

૨૦૧૨ના તોફાનો બાદ પણ તેઓ જંગી બહુમતીથી ચૂંટાયા હતા. હવે યુવા નેતા માટે તેમણે નિવૃતિ જાહેર કરી છે. તેઓ અત્યાર સુધી કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતાની ફરજ બજાવતા હતા. તેઓ ૭૨ વર્ષના છે અને હવે યુવાન નેતા માટે જગ્યા બનાવવા માંગે છે.

હાલ કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા મુદ્દે રેસ ચાલી રહી છે ત્યારે તેમની જગ્યા ખાલી થતા હવે તુરંત વિરોધ પક્ષના નેતાની જગ્યા ભરાઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.