Abtak Media Google News

જાડેજા પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા

તાજેતરમાં નકલંક વીડી વિસ્તારમાં આવેલા સુરાપુરા ડાડાની ડેરીએ શાસ્ત્રી ડોલરરાય વલ્લભરાય ત્રિવેદીના આચાર્ય પદે શાસ્ત્રોકત તથા સંગીતમય વિષ્ણુયાગ યજ્ઞ યોજાયેલ હતો.

જેમાં વિભાણી જાડેજા પરિવાર તથા હરધ્રોલ જાડેજા પરિવારના યજમાન પદે વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજન થયેલ હતુ. જેમાં ગાય માતાનું પૂજન માંધાતાસિંહજી જાડેજાના હસ્તે શાસ્ત્રીજી દ્વારા થયેલ હતુ. વિષ્ણુયાગ યજ્ઞ સવારે ૭ કલાકે શરૂ થઈને બપોરે ૩.૪૫ મીનીટે બીડુ હોમાયેલ હતુ જેમાં સમાજના દરેક આગેવાનો તથા જાડેજા પરિવારના બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

આવિષ્ણુયજ્ઞના દાતા હરદેવસિંહ જાડેજા (રાજસમઢીયાળા), પૃથ્વીસિંહ (ઘોઘુભા), હેમંતસિંહ જાડેજા (ઘંટેશ્ર્વર), પ્રવિણસિંહ જાડેજા (ઈટાળા), જયદિપસિંહ જાડેજા (કોઠારીયા), દેવેન્દ્રસિંહ જાડેજા (કોઠારીયા), દિલીપસિંહ જાડેજા (વેજાગામ વાજડી), વનરાજસિંહ જાડેજા (વાવડી), યોગરાજસિંહ જાડેજા (વાવડી), પંકજસિંહ જાડેજા (વાવડી), રાજદિપસિંહ જાડેજા (વાવડી), મહાવીરસિંહ જાડેજા (વાવડી), બહાદૂરસિંહ જાડેજા (વાવડી), જયેન્દ્રસિંહ જાડેજા (રાજગઢ), મહાવીરસિંહ જાડેજા (રાજમઢ)નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.