Abtak Media Google News

ઉપરવાસમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં 1.17 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં ઉછાળો આવ્યો છે. નર્મદા બંધની જળ સપાટીમાં છેલ્લા 10 કલાકમાં 15 સેમીનો વધારો થયો છે. જેથી ડેમની જળ સપાટી 126.12 મીટર ઉપર પહોંચી છે.

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવક મોટા પ્રમાણમાં થઇ છે. બીજી બાજુ CHPHના ટર્બાઇન હજી પણ બંધ છે. અને નર્મદા કેનાલમાં 5 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. હાલ ડેમમાં 1760 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.