Abtak Media Google News

પૂ.નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં પત્રિકા આલોચન સાથે દિક્ષા મહોત્સવનો થયો શુભારંભ

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન ચરણ શરણમાં શરણાધિન બનીને સંયમની સાધના કરવા નગની રહેલા બે મુમુક્ષુ આત્માઓ ઉપાસનાબેન શેઠ તેમજ આરાધનાબેન ડેલીવાલાના ભાગવતી દીક્ષા મહોત્સવની આમંત્રણ પત્રિકાના દિવ્ય આલેખન, પ્રભુને અત્યંત અહોભાવી આમંત્રણ આપવા સાથે કરવામાં આવ્યાં હતાં.

રોયલપાર્કઉપાશ્રયમાંરાષ્ટ્રસંત પૂ.ના બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની દિવ્ય જપ  સાધનાનાં મંગલમય પ્રારંભ બાદ આગામી ૯ ડિસેમ્બરના દિવસે આયોજિત બંને  મુમુક્ષોના દીક્ષા મહોત્સવમાં પરમાત્માને પધારવાનું આમંત્રણ આપતાં  રાષ્ટ્રસંત પૂ.એ ફરમાવ્યું હતું કે પ્રભુ પગામી બનવા બે મુમુક્ષુ આત્માઓ ઉત્સાહિત અને ભાવિત થઈ  રહ્યાં છે ત્યારે, સંસારી વસત્રોને ત્યાગ કરીને વીતરાગીના વરદાનસમા શ્વેત વસ્ત્ર પરિધાન કરીને દીક્ષા ગ્રહણ કરવા પધારનારા મુમુક્ષોઓના દર્શન કરીને હજારો નયન ધન્ય બનશે! એ પળના સાક્ષી બનીને કર જોડનારા એ હજારો ભાવિકોના કર ધન્ય બની જશે.

હે પ્રભુ! આપના બતાવેલાં મોક્ષ માર્ગની  આરાધના કરવા બે મુમુક્ષુઓ તૈયાર યાં છે, ત્યારે તેમના પ્રવ્રજ્યા ગ્રહણની ક્ષણો હજારો હજારો ભાવિકો માટે ભાવ પ્રવ્રજ્યા બની જાય એવી મંગલ ભાવના છે.સંસારીના હામાં રહેલા મોબાઈલ પર તો લખેલા સંદેશ વાંચવા પડે જયારે સંયમીના હામાં રહેલા રજોહરણ પર જો વાંચતા આવડે તો વીતરાગના સંદેશ વાંચી શકાય છે.

આ અવસરે રાષ્ટ્રસંત પૂ.ના મુખેી બ્રહ્મનાદ મંત્રોચ્ચારના પ્રાગટ્ય બાદમાત્ર અક્ષરોી નહિ પરંતુ પ્રભુ પધારે તેવી શ્રદ્ધા સાથે  મુમુક્ષુ આત્માઓના માતા – પિતા,સ્નેહી સ્વજન,શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો અને ભાવિકોના હસ્તે ૨૪ ર્તીકર ભગવાન,ગણધર ભગવંતો,અંતરિક્ષમાં  બિરાજમાન ગોંડલ સંપ્રદાયના દિવંગત ગુરૂ ભગવંતો,આચાર્ય ભગવંતો તેમજ ઉપકારી સાધ્વીજી ભગવંતોને અત્યંત અહોભાવપૂર્વક કેસરજળના છાંટણે આમંત્રણ પત્રિકા પર આલેખન કરીને આમંત્રણ કરવામાં આવતાં સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પરાઈ ગઇ હતી.

વિશેષમાં ઇતિહાસમાં અમર થઇ ગયેલા શ્રીકૃષ્ણ વાસુદેવનાં સમયની યાદ મનોજભાઈ ડેલીવાળાએઅપાવતા દાનવીર શ્રેષ્ઠિવર્ય જિતુભાઈ બેનાણીના હસ્તે ભેરી વગાડીને દીક્ષા મહોત્સવની અનુમોદના કરતાં ઉપસ્તિ સર્વએ હર્ષનાદ અને જયનાદી વધામણાં કર્યા હતાં.

અંતે શ્રી સમસ્ત રાજકોટ સ્થા.જૈન સંઘોના તેમજ ગોંડલ સંપ્રદાયના અધિકારીઓ દ્વારા અત્યંત ઉત્સાહી ભેરીનાદ સાથે દીક્ષા મહોત્સવના પડઘમ વગાડી ને દેશ વિદેશના હજારો હજારો ભાવિકોને દીક્ષા મહોત્સવની ઉદઘોષણા કરવામાં આવી હતી.ઉપરાંત લુક એન લર્નની નાની બાલિકા દ્વારા મુમુક્ષુઓને શુભેચ્છા આપવા સો આ સુંદર અવસરનું સમાપન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.