Abtak Media Google News

ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી જ્ઞાતિ મંડળનું આયોજન

ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી જ્ઞાતિ મંડળ દ્વારા જ્ઞાતિજનો તથા અન્ય વ્યવસાયીઓ માટે તા.૨૩ને રવિવારે ૯.૩૦ કલાકેથી ૧૨.૩૦ કલાકે અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી બાગ, રાજકોટ મુકામે ગુજરાતનાં પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉટન્ટ ભાર્ગવભાઈ યુ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ સેમીનારનું આયોજન કરવામાં આવેલું છે.

આ સેમીનારના આયોજનમાં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ પ્રમુખ જનાર્દનભાઈ આચાર્ય તથા સમગ્ર કારોબારી સભ્યોનો સંપૂર્ણ સહકાર મળેલો છે.

જ્ઞાતિ મંડળ દ્વારા આ પ્રકારનું આયોજન ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવેલ છે. સેમીનારમા ઉપસ્થિત રહેવા માટે સવારે ૯ કલાકે સ્થળ ઉપર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.

આ આયોજનને સફળ બનાવવા ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી જ્ઞાતિ મંડળના પ્રમુખ મયુરભાઈ મહેતા તથા સેક્રેટરી સંજયભાઈ વ્યાસ ઉપપ્રમુખ ભુદરભાઈ પંડયા ખજાનચીક પ્રદિપભાઈ દવે તથા કારોબારી સભ્ય ભાનુભાઈ જોશી, ચૈતન્યભાઈ વ્યાસ, વિપુલભાઈ ભટ્ટ, હરેશભાઈ જોષી, વિશાલભાઈ પંડયા, ગજેન્દ્રભાઈ જોશી, અને ચેતનભઈ જોશી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.