Abtak Media Google News

પૂ. ધીરગૂ‚દેવની નિશ્રામાં ૨૧ ફેબ્રુ.એ નૂતનીકરણ ઉપાશ્રયનો ઉદઘાટન સમારોહ.

જામનગર નજીક ભાણવડ તાલુકાના કાટકોલામાં તા. ૧૭ ને રવિવારે પૂ. ધીરગૂ‚દેવની ૩૮મી દીક્ષા જયંતિ અનુમોદના અને દુબઈ મસ્કત વસતા માતુશ્રી ચંદનબેન ધીરજલાલ મણીયાર ચંદ્રપ્રભ જૈન ઉપાશ્રયનો ઉદઘાટન સમારોહ સવારે ૯.૩૦ થી ૧૨ કલાકે યોજાયેલ છે. આપ્રસંગે દેશ વિદેશના ભાવિકો હાજરી આપશે. તેમજ ધૂમાડાબંધ ગામજણ રાખેલ છે. સૂત્ર સંચાલને એકલવીર ધીરજ છેડા કરશે.

જયારે તા.૧ને ગૂરૂવારે પોરબંદરમાં ભોજેશ્ર્વર પ્લોટમાં નિખીલ અને રાજેશ દફતરી પ્રેરિત નૂતનીકરણ પામેલા ઉપાશ્રયનો ઉદઘાટન સમારોહ યોજાશે. તેમજ તા. ૯ના વડાલમાં ઉમેશકુમાર કિશોરભાઈ સંઘવી નેમિનાથ જૈન ઉપાશ્રય જયંતભાઈ કામદાર અને ડો. ચંદ્રાવારીઆ અમેરિકાના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો. તા.૩ માર્ચના રાજકોટમાં જેકુંવરબેન ધીરજલાલ મહેતા પ્રેરિત ઉત્તમ સૂર્ય વિજય ઉપાસના ભવનની ઉદઘાટન વિધિ રાખેલ છે. ત્યારબાદ પૂ. ધીરગૂ‚દેવ સુરેન્દ્રનગર, અમદાવાદ, બરોડા, સુરત થઈ મુંબઈ પધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.