Abtak Media Google News

દર બીજા અને ચોથા શનિવારે અમદાવાદની આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થકેર ગ્લોબલના સંયુકત ઉપક્રમે નિદાન કેમ્પનું આયોજનર

શહેરના જરુરીયાતમંદ નાગરીકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસક્ષેત્રે છેલ્લા ર૦ વર્ષથી કાર્યરત પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફરાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કાલોજી એશોશિયેટસ હેલ્થકેરગ્લોબલ ના સંયુકત ઉપક્રમે કાલે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે.પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્રસૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે.

જે અંતર્ગત શ્રી પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ કિલ્લોલ, ૧-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે,ભાવનગર રોડ, રાજકોટ (ફોનનં. ૨૭૦૪૫૪૫) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૧૧ વાગ્યાનો રહેશે. રજીસ્ટ્રેશન રુબરુ અથવા ફોનથી પણ કરાવી શકાશે.

આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબી ડો. દુષ્યંતભાઇ માંડલીક સેવાઓઆપશે. જે અંતર્ગત મોં, ગળુ, જડબુ સહીત તમામ પ્રકારના કેન્સરનુ નિદાન કરી અપાશે. જેનોવિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.

વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઇફ સ્ટાઇલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઇ કઇ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો વિનામુલ્યે નિદાન કરાવી મહામૂલી જીંદગી બચાવી શકાય તે માટે હવે શહેરમાં શરુ થનારી ઝુંબેશનો લાભ એકસપર્ટ ઓપીનીયર દ્વારા દ્ મહિને બે વાર મેળવી રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છના પજાજનો નિશ્ર્ચિત બની શકશે.

ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ ‚પાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહીતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાંસેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉ૫ાઘ્યાય, ડો. નયનભાઇશાહ, ડો. વિભાકરભાઇ વચ્છરાજાની,દિવ્યેશભાઇ પટેલ તથા બીપીનભાઇ વસા કાર્યરત છે.

વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.